આવતા વર્ષે "શ્રી હનુમાન જન્મોત્સવ" નિમિત્તે "મારુતિ યજ્ઞ" ચૈત્ર સુદ પૂનમને મંગળવાર, તા.20-04-2027 ના રોજ છે. આવતા વર્ષે પ્રતિષ્ઠાના 25 વર્ષ પૂર્ણ થવાથી "રજત જયંતી" વર્ષ છે.
પ્રસાદ શનિવારે સાંજના 5-00 કલાકે બનાવવામાં આવે છે, જેના ખર્ચ પેટે રૂ.4,000 લેવામાં આવે છે અને પ્રસાદના ખર્ચ બાદની રકમ મંદિરના લાભાર્થે વાપરવામાં આવે છે. પ્રસાદ માટે નોંધાયેલ યાદીમાંથી ક્રમાનુસાર દાતાશ્રીની પસંદગી કરવામાં આવે છે.